| ફેડરેશન ઑફ ઇન્ડિયન ચૅમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ફિક્કી) | ||
|
|
ભારતમાં ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે કાર્ય કરતી અગ્રણી સંસ્થા એટલે ફિક્કી. તેણે જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ ભારતીય વેપાર- ધંધાને તેમની સ્પર્ધાત્મક અને વૈશ્વિક પહોંચ વધે તે માટે સક્ષમ બનાવ્યા છે. દેશભરમાં 1500 કંપનીઓ અને 500થી વધુ ચૅમ્બર્સ ઑફ કોમર્સ અને બિઝનેસ એસોસિયેશિનો ફિક્કીનાં સભ્ય છે. આ સંસ્થા ભારતીય વેપાર-ધંધાના સમાન દ્રષ્ટિકોણને સમર્થન આપે છે અને વેપારના 2,50,000 એકમોના મતને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વ્યક્ત કરે છે. ઉત્પાદન તથા વેપાર અને સેવા ક્ષેત્રેના નાના,મધ્યમ અને મોટા એકમો તેમાં સભ્યપદ ધરાવે છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. ફિક્કી સંશોધન, સર્વોચ્ચ રાજકીય સ્તરે વાટાઘાટ તથા વૈશ્વિક નેટવર્કિંગની મદદથી વેપારને લગતા પ્રશ્નો હલ કરવામાં અગ્રણી ભૂમિકા ભજવે છે. મહાત્મા ગાંધીની સલાહથી 1927માં ફિક્કીની સ્થાપના થઈ હતી. ભારતમાં વેપાર-ધંધા ક્ષેત્રે તે સૌથી મોટી અને સૌથી જૂની સંસ્થા છે. તેનો ઈતિહાસ સ્વાતંત્ર્ય ચળવળ સાથે વણાયેલો છે. ભેદભાવભરી આર્થિક નીતિઓના વિરોધમાં આંદોલન માટેના રાજકીય સાધન તરીકે ફિક્કીએ આર્થિક રાષ્ટ્રીયવાદ જગાવ્યો. ભારતમાં આર્થિક વાતાવરણ બદલાતું ગયું છે, પણ તેની પ્રતિબદ્ઘતા, કામગીરી અને ઉદ્દેશ એ જ રહ્યાં છે અને તેણે સતત નવા નવા મુદ્દા હાથ ધર્યા છે. જ્ઞાન આધારિત વૈશ્વિક અર્થતંત્રમાં ફિક્કીએ ગુણવત્તા, સ્પર્ધાત્મકતા, પારદર્શકતા, ઉત્તરદાયિત્વ અને વેપાર-સરકાર - નાગરી સમાજની ભાગીદારીને મહત્વ આપ્યું છે જેથી વેપારમાં નૈતિકતા આધારિત પ્રથાઓનું પાલન થાય અને સામાન્ચ માનવીનાં જીવનધોરણ સુધરે. |
|
| મહારાષ્ટ્ર ઈકોનોમિક ડેવલપમેન્ટ કાઉન્સિલ (એમઈડીસી) | ||
|
|
મહારાષ્ટ્ર ઈકોનોમિક ડેવલપમેન્ટ કાઉન્સિલ (એમઈડીસી)ની રચના પાંચ દાયકા પહેલાં 1957માં એટલે કે 29મી જૂન 1957માં સ્વ. પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને ભારત સરકારના આયોજન પંચના માજી નાયબ અધ્યક્ષ ડૉ. ધનંજયરાવ ગાડગિળના વડપણ હેઠળ મહારાષ્ટ્રમાંના મહત્ત્વના ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ બિઝનેસ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનોએ દ્વારા સામાજિક જવાબદારીના ચિહ્ન રૂપે કરવામાં આવી હતી. કાઉન્સિલમાં બિઝનેસ અને ઉદ્યોગ, આર્થિક અને વહીવટી ક્ષેત્રની મહત્ત્વની વ્યક્તિઓ પ્રમુખ તરીકે રહીને રાજ્યના વેપાર અને ઉદ્યોગને મદદરૂપ થવા માટે કાઉન્સિલને સક્રિયપણે માર્ગદર્શન અને ટેકો પૂરો પાડે છે. અત્યાર સુધી કાઉન્સિલના પ્રમુખપદે રહેનાર અગ્રણી વ્યક્તિઓમાં (સ્વ.) શ્રી લાલચંદ હિરાચંદ, (સ્વ.) શ્રી એસ.એલ.કિર્લોસ્કર, (સ્વ.) શ્રી નાની પાલખીવાલા, શ્રી કેશુબ મહિન્દ્રા, શ્રી સુભાષ દાંડેકર, શ્રી અદી ગોદરેજ, શ્રી એમ.એન.ચૈનીનો સમાવેશ થાય છે. આવી અગ્રણી વ્યક્તિઓની દીર્ઘદ્રષ્ટિ અને નેતૃત્વ હેઠળ એમઈડીસીની સંશોધન આધારિત સેવાઓ અને સભ્યપદના પ્રકારને કારણે તેને માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ ભારતભરમાં એક અનોખી સંશોધન અને વિકાસ સંસ્થા તરીકે નામના મળી છે. | |
| એસોસિયેટેડ ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (એસોચેમ) | |||
|
|
| ||
| મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કોમર્સ ઈન્ડસ્ટ્રી એન્ડ એગ્રીકલ્ચર(એમએસીસીઆઈએ) | ||
|
|
મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કોમર્સ ઈન્ડસ્ટ્રી એન્ડ એગ્રીકલ્ચર (એમએસીસીઆઈએ) એ ફેડરેશન ઑફ ઈન્ડિયન ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ફિક્કી), નવી દિલ્હી, ઈન્ટરનેશનલ ચેમ્બર ઑફ કોમર્સ- નેશનલ કમિટી, નવી દિલ્હી, ઈન્ડિયન કાઉન્સિલ ઑફ આર્બિટ્રેશન, નવી દિલ્હી, ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઑફ એમ્પ્લોયર્સ, નવી દિલ્હી, જેવી વેપાર અને ઉદ્યોગની રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ સાથે સંલગ્ન છે. ચેમ્બરનું સભ્યપદ મહારાષ્ટ્રમાં વેપાર, વાણિજ્ય, ઉદ્યોગ અને ખેતી અને વ્યવસાય સાથે સંકળાયેલા તમામ માટે નાત, જાત, ભાષા કે ધર્મના ભેદભાવ વિના ખૂલ્લું છે. ભારતની બહાર આવા પ્રકારની વ્યક્તિઓને એસોસિયેટેડ મેમ્બરશિપ પણ ઑફર કરવામાં આવે છે. ચેમ્બર મુંબઈમાં વડું કાર્યાલય ધરાવે છે અને કેન્દ્રીય પદ્ધતિએ કાર્ય કરે છે. તેનું શાખા કાર્યાલય નાસિકમાં તથા મહારાષ્ટ્રભરમાં તાલુકા અને જિલ્લા સ્તરના વેપાર અને ઉદ્યોગની અનેક સ્થાનિક સંસ્થાઓ સાથે સંલગ્ન છે. |
|
| નાસકોમ (નેશનલ એસોસિયેશન ઑફ સૉફ્ટવેર એન્ડ સર્વિસીસ કંપનીઝ) | ||
|
|
નાસકોમ એ ભારતમાં આઈ.ટી. - બી.પી.ઓ. ક્ષેત્રની અગ્રણી ટ્રેડિંગ સંસ્થા અને ચેમ્બર ઑફ કોમર્સ છે. તે વૈશ્વિક વેપાર સંસ્થા છે અને તેમાં 1200 કરતાં વધારે સભ્યો છે. તેમાંથી 250 કરતાં વધારે કંપનીઓ અમેરિકા, બ્રિટન, યુરોપિયન યુનિયન અને એશિયા પેસિફિક ક્ષેત્રની છે. નાસકોમની સભ્ય કંપનીઓ અને સહયોગી કંપનીઓ સર્વિસિસ, પ્રોડક્ટ, માહિતી તંત્રજ્ઞાનના માળખાનું સંચાલન, સંશોધન તથા ગેમિંગ ક્ષેત્રે કાર્યરત છે. ભારતમાં આ ક્ષેત્રમાંથી જે મહેસૂલી આવક થાય છે તેમાં 95 ટકા હિસ્સો નાસકોમના સભ્યોનો હોય છે. તેઓ 20 લાખ કરતાં વધારે કર્મચારીઓ ધરાવે છે. હાલમાં નાસકોમનું વડુંમથક ભારતના નવી દિલ્હીમાં છે અને તેની પ્રાદેશિક ઓફિસો મુંબઇ, ચેન્નઇ, હૈદરાબાદ, બેંગલોર, પુણે અને કોલકાતામાં છે.નાસકોમ મુક્ત વૈશ્વિક વેપારનું ચુસ્ત તરફદાર છે અને તેના સભ્યો વિશ્વ સ્તરની વહીવટી પ્રથાઓ અપનાવે, ગુણવત્તા, સલામતી અને સુધારાના સ્રર્વોચ્ચ ધોરણો સ્થાપે અને તેમની જાળવણી કરે તથા આજના ઝડપથી બદલાતા રહેતા ટેક્નોલોજી ક્ષેત્રે સ્પર્ધાત્મક રહે તે માટે તેમને પ્રોસ્તાહિત કરવા સક્રિયપણે કામ કરવા પ્રતિબદ્ધ છે. |
|
| ફેડરેશન ઑફ ઈન્ડિયન માઈક્રો એન્ડ સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝિસ (એફઆઈએસએમઈ) | ||
|
ફેડરેશન ઑફ ઈન્ડિયન માઈક્રો એન્ડ સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝિસ (એફઆઈએસએમઈ) એવું માળખું છે, જે રાજ્ય કક્ષાનાં એસએમઈ અને પ્રાદેશિક એસોસિયેશનો દ્વારા 1,00,000થી વધુ નાના અને મધ્યમ કદના એકમો સુધી પહોંચે છે. એફઆઈએસએમઈના સભ્યપદમાં પ્રાંતીય અને ક્ષેત્રિય એસોસિયશનોના નાના અને મધ્યમ કદના એકમોનો સંગમ છે. તમામ મહત્ત્વનાં ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા ઉદ્યોગોને સભ્યપદ માટે સીધું નિમંત્રણ આપવામાં આવે છે. આ માળખા હેઠળ નીચે મુજબનાં ક્ષેત્રોને આવરી લેવામાં આવે છેઃ
|
|
| ફ્યુચર્સ ઈન્ડસ્ટ્રી એસોસિયેશન (એફઆઈએ) | ||
|
|
એફઆઈએ એકમાત્ર એસોસિયેશન છે, જે વાયદા બજારમાં રસ ધરાવતી તમામ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે. એફઆઈએમા 180 કરતાં વધુ કોર્પોરેટ સભ્યો છે જે હજારો ઉદ્યોગ સહભાગીઓ સુધી પહોંચે છે. વાયદા કમિશન વેપારીઓ તેના નિયમિત સભ્યો છે. એફઆઈએના અંદાજ મુજબ તેના નિયમિત સભ્યો યુએસના વાયદા એક્સચેન્જમાં થતા ગ્રાહકોના વ્યવસાયમાં 80 ટકા હિસ્સો ધરાવે છે. આ સભ્યો દ્વારા એફઆઈએ વાયદા ઉદ્યોગના ગ્રાહકોની જરૂરિયાતનું પ્રતિનિધિત્વ કરે છે. વાસ્તવમાં, તેના સભ્યોમાં ગ્રાહક ઈક્વિટીના રૂપમાં ટોચનું સ્થાન ધરાવતી 20 પેઢીઓનો સમાવેશ થાય છે. એસોસિયેટ સભ્યોમાં આંતરરાષ્ટ્રીય એક્સચેન્જો, બેન્કો, કાયદાકીય અને એકાઉન્ટિંગ પેઢીઓ, ઈન્ટ્રોડ્યુસિંગ બ્રોકરો, કોમોડિટી વેપાર સલાહકારો, કોમોડિટી પૂલ ઓપરેટરો અને અન્ય બજાર વપરાશકર્તા તથા યુએસએ અને વિદેશમાં વડુંમથક ધરાવતા માહિતી અને ઉપકરણો પુરું પાડનારનો સમાવેશ થાય છે. |
|
| એસોસિયેશન ઑફ ફ્યુચર્સ માર્કેટ્સ (એએફએમ) | ||
|
એસોસિયેશનના ઉદ્દેશો
એસોસિયેશનના ઉદ્દેશોમાં નવા ડેરિવેટિવ્ઝ અને સંબંધિત બજારોની પ્રસ્થાપિત પેઢીઓ અને સંસ્થાઓને પ્રોત્સાહન તથા પીઠબળ પૂરું પાડવું અને એક્સચેન્જો વચ્ચે સંચાર વ્યવસ્થા સુદ્દઢ કરવા માટે આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવાનો સમાવેશ થાય છે. એસોસિયેશન, વાયદા એક્સચેન્જો માટે આયોજિત આંતરરાષ્ટીય વાર્તા મંચમા ભાગીદારી થાય તે માટે અથાક પરિશ્રમ કરે છે સભ્યપદ એએફએમનું સભ્યપદ બજારના વિવિધ પ્રકારના સહભાગીઓ માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે, જેથી તેમાં વ્યાપક સ્તરના સહભાગીઓ સામેલ થાય પરિણામ સ્વરૂપે એક્સચેન્જો, ક્લીયરિંગ હાઉસિસ, વેપારીઓ તેમ જ ઉદ્યોગના અન્ય સહભાગીઓ એએફએમમાં જોડાય અને તેને ટેકો પૂરો પાડે.તેમના પરિસંવાદો દર વર્ષે અલગ અલગ સ્થળોએ યોજવામાં આવે છે (હાલમાં જ તેમણે ઈસ્તાંબૂલ, બુકારેસ્ટ અને બુડાપેસ્ટ ખાતે આયોજન કર્યું હતું). ઊભરતાં એક્સચેન્જોને અસર કરતાં મહત્ત્વની બાબતોની પેનલ ચર્ચા સ્થાપિત બજારો અને બજારોના સહયોગીના સહકારથી આયોજવામાં આવે છે. તેના કેન્દ્રસ્થાને વેચાણ વધારવાનું લક્ષ્ય નહીં, પરંતુ સક્રિય ભાગીદારી હોય છે તેના કારણે તેમાં ભાગ લેનારા માટે તે વિશેષ રસપ્રદ બને છે. અલબત તેમાં સામાજિક ભૂમિકાને ભુલાવી દેવામાં આવી નથી- સંગઠન એ કોઈપણ એસોસિયેશનનો અંતર્ગત ભાગ છે અને યજમાન દેશની સંસ્કૃતિ અને ઈતિહાસ સમજવા માટે સમય જરૂરી હોય છે. | |
| ધ ઈન્ટરનેશનલ ઑર્ગેનાઈઝેશન ઑફ સિક્યોરિટીઝ કમિશન્સ (આઈઓએસસીઓ) | ||
|
ધ ઈન્ટરનેશનલ ઑર્ગેનાઈઝેશન ઑફ સિક્યોરિટીઝ કમિશન્સ (આઈઓએસસીઓ)
સભ્યપદ ધરાવતી એજન્સીઓએ હાલમાં જ ઈન્ટરનેશનલ ઑર્ગેનાઈઝેશન ઓફ સિક્યોરિટીઝ કમિશન ખાતે ભેગી થઈને તેમના કાયમી માળખા દ્વારા ઠરાવ્યું કે -
| |
| સ્વિસ ફ્યુચર્સ એન્ડ ઑપ્શન્સ એસોસિયેશન (એસએફઓએ) | ||
|
સ્વિસ ફ્યુચર્સ એન્ડ ઑપ્શન્સ એસોસિયેશન (એસએફઓએ)ની સ્થાપના બિન નફાકારક વ્યવસાયી સંગઠન તરીકે 1979માં કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ નાણાકીય સાધનો અને કોમોડિટીમાં ડેરિવેટિવ નાણાકીય સાધનો, ખાસ કરીને ફ્યુચર્સ અને ઑપશન્સના સ્ટાન્ડર્ડ કોન્ટ્રેક્ટમાં શક્ય તેટલા વધુ લોકોનો રસ જગાડવાનો તથા પોતાના સભ્યોનાં હિતોને સાચવવાનો છે. એસએફઓએ નાણાકીય તથા કોમોડિટીના ડેરિવેટિવ્ઝનો ઉપયોગ કરનારાઓ તેમ જ વ્યવસાયીઓ, તેમની સંસ્થાઓ અને એક્સચેન્જોને સેવાઓ પૂરી પાડે છે. 1980માં તેનું નામ સ્વિસ કોમોડિટીઝ ઈન્ડસ્ટ્રી એસોસિયેશન (એસસીઆઈએ) રખાયું હતું. તેનો હેતુ સ્થાપિત એક્સચેન્જમાં કોમોડિટીનો વેપાર કરતા સ્વિટ્ઝરલેન્ડના વેપારીઓનું પ્રતિનિધિત્વ કરવાનો હતો. બે વર્ષ બાદ તેના નામમાં ફ્યુચર્સ શબ્દનો ઉમેરો કરીને એસસીએફએ નામ રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ 1997માં કોમોડિટી શબ્દને પડતો મૂકીને હાલનું એસએફઓએ નામ રાખવામાં આવ્યું. |
|
| સાઉથ એશિયન ફેડરેશન ઑફ એક્સચેન્જીસ (સેફ) | ||
|
|
સાઉથ એશિયન ફેડરેશન ઑફ એક્સચેન્જીસ (સેફ) એ દક્ષિણ એશિયામાં જામીનગીરી (સિક્યોરિટીઝ)ના બજારનો વિકાસ કરવાના હેતુથી આ પ્રદેશનાં એક્સચેન્જો દ્વારા સ્થાપવામાં આવેલો મહાસંઘ છે. દક્ષિણ એશિયાનાં મૂડીબજારોનો પ્રાદેશિક તથા વૈશ્વિક ધોરણે સામેલ કરવાની દિશામાં સેફની સ્થાપનાનું પગલું મહત્ત્વપૂર્ણ સિમાચિહ્ન છે. વૈશ્વિકીકરણને લીધે રાષ્ટ્રો વચ્ચે વેપાર, રાજકારણ અને પારસ્પરિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે એકબીજા પર અવલંબન જરૂરી બની ગયાં છે. પરિણામે, દક્ષિણ એશિયાનાં મૂડી બજારો એકબીજાની વૈશ્વિક બજારોની અસરથી અલિપ્ત રહી શકે તેમ નથી. કેટલાંક હિતો અને કેટલીક બાબતો તમામ બજારોને લાગુ પડે છે. તેને ઓળખીને તેના પર ધ્યાન આપવાની જરૂર છે. આથી જ સેફની સ્થાપના અર્થસભર બને છે. | |
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||