 |
સભ્યોએ એક્સચેન્જ પાસે કેટલી ડિપોઝિટ રાખવાની હોય છે અને તેની સામે તેમને કેટલું એક્સપોઝર મળે છે? |
|
સિક્યોરિટી ડિપોઝિટ બે તબક્કામાં આપવાની હોય છે.
પ્રાથમિક સિક્યોરિટી ડિપોઝિટ
સભ્યપદ લેવામાં આવે તે પ્રાથમિક તબક્કે આ ડિપોઝિટ ચુકવવાની હોય છે (અને તેમાં સમયાંતરે ફેરફાર કરવામાં આવે છે) તથા સભ્યોને એક્સપોઝર આપવા માટે તેને ગણતરીમાં લેવામાં આવે છે.
- 01.05.2007થી લાગુ પડતી ડિપોઝિટઃ ટ્રેડિંગ-કમ-ક્લીયરિંગ મેમ્બર (ડિપોઝિટ વગરના) માટે (રૂ।. 30 લાખ) અને ટ્રેડિંગ-કમ-ક્લીયરિંગ મેમ્બર (ડિપોઝિટવાળા) માટે રૂ।. 65 લાખ. પ્રોફેશનલ ક્લીયરિંગ મેમ્બર અને ઇન્સ્ટિટ્યુશનલ ટ્રેડિંગ-કમ-ક્લીયરિંગ મેમ્બરે 1-1 કરોડ રૂપિયા આપવાના હોય છે.
- સભ્ય આ પ્રાથમિક ડિપોઝિટ રોકડ સ્વરૂપે (લઘુતમ 50 ટકા) અને બાકીની રકમ માન્યતાપ્રાપ્ત બૅન્કોની બૅન્ક ગેરંટી અને/અથવા ફિક્સ્ડ ડિપોઝિટના સ્વરૂપે આપી શકે છે.
અતિરિક્ત સિક્યોરિટી ડિપોઝિટ
- ટ્રેડિંગ માટેની એક્સપોઝર મર્યાદા વધારવા માટે સભ્યો નીચે જણાવાયેલા સ્વરૂપે ઓછામાં ઓછી રૂ।. 50,000ની રકમ અતિરિક્ત સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવી શકે છેઃ
- રોકડ;
- રોકડ સમકક્ષઃ માન્યતાપ્રાપ્ત બૅન્કોની બૅન્ક ગેરંટી અથવા ફિક્સ્ડ ડિપોઝિટ રસીદ
- એક્સચેન્જના માન્યતાપ્રાપ્ત કસ્ટોડિયન પાસે ડિમેટ સ્વરૂપમાં રખાયેલી અને 1956ના એસસી(આર) ઍક્ટની કલમ 2(એચ) હેઠળ વ્યાખ્યા પામેલી માન્યતાપ્રાપ્ત સિક્યોરિટીઝ
- નિર્ધારિત વેરહાઉસ/વોલ્ટે આપેલી માન્યતાપ્રાપ્ત કોમોડિટી માટેની વેરહાઉસ રસીદ ભૌતિક અને/અથવા ડિમેટ સ્વરૂપમાં
|
|
|
|
 |
બીજીએસ એટલે શું? |
|
| બીજીએસ એટલે બૅન્ક ગેટવે સિસ્ટમ, જેમાં સભ્ય પોતાના માર્જિનને વધારવા માટે સંબંધિત બૅન્કને ફેક્સ મારફતે વિનંતી મોકલી શકે છે અને તેને પગલે માર્જિન વધારી દેવાય છે. |
|
|
|
 |
સભ્યોએ રોકડ-બિન રોકડ ડિપોઝિટ માટે કેટલો ગુણોત્તર રાખવો પડે? આ ગુણોત્તર કયા સંજોગોમાં લાગુ પડતો નથી? |
|
| સભ્યોએ રોકડ અને બિન રોકડનો ગુણોત્તર 1:3નો રાખવાનો હોય છે. સ્વીકાર્ય મૂલ્ય કરતાં વધારે મૂલ્યની કોલેટરલ માર્જિન તરીકે સ્વીકારવામાં નહીં આવે. જો સભ્ય રૂ।. 50 લાખની રકમ રોકડ સ્વરૂપે ડિપોઝિટ રાખતા હોય તો તેમણે પરિપત્ર ક્ર. 187/2007 મુજબ તેના માટેની બાંયધરી આપવાની હોય છે. એ સંજોગોમાં તેઓ કોઈપણ રકમની બૅન્ક ગેરંટી અને/અથવા ફિક્સ્ડ ડિપોઝિટ રસીદ રાખી શકે છે અર્થાત્ 1:3નો ગુણોત્તર લાગુ પડતો નથી. |
|
|
|
 |
બૅન્ક ગેરંટી/ફિક્સ્ડ ડિપોઝિટ માટેની માન્યતાપ્રાપ્ત બૅન્કો કઈ? |
|
|
|
|
 |
એક્સચેન્જની માન્યતાપ્રાપ્ત ક્લીયરિંગ બૅન્કો કઈ? |
|
એક્સચેન્જે ક્લીયરિંગ મેમ્બરો અને એક્સચેન્જ વચ્ચે ભંડોળનું ઈલેક્ટ્રોનિક ટ્રાન્સફર કરવા માટે નીચે પ્રમાણેની ક્લીયરિંગ બૅન્કોની નિમણૂક કરી છે.
માન્યતાપ્રાપ્ત ક્લીયરિંગ બૅન્કો |
| |
|
|
|
 |
પ્રાથમિક સિક્યોરિટી ડિપોઝિટની સામે એક્સપોઝર આપવામાં આવશે? |
|
| પ્રાથમિક સિક્યોરિટી ડિપોઝિટ સામે એક્સપોઝર આપવામાં આવશે. |
|
|
|
 |
હું માર્જિનની રકમ કઈ રીતે વધારી શકું? |
|
| અતિરિક્ત સિક્યોરિટી ડિપોઝિટ પેટે રોકડ/બૅન્ક ગેરંટી/ફિક્સ્ડ ડિપોઝિટ આપીને માર્જિનમાં વધારો કરી શકાય છે. કસ્ટોડિયન પાસેના માન્યતાપ્રાપ્ત કંપનીઓના શેર ડિમેટ સ્વરૂપે તથા માન્યતાપ્રાપ્ત કોમોડિટીની વેરહાઉસ રસીદ એ બન્ને પણ અતિરિક્ત માર્જિન પેટેની કોલેટરલ તરીકે સ્વીકારવામાં આવે છે (સંબંધિત પરિપત્રો જોઈ લેવા વિનંતી). |
|
|
|
 |
માર્જિન/અતિરિક્ત સિક્યોરિટી ડિપોઝિટ કઈ રીતે છૂટાં કરાવી શકાય? |
|
- સભ્ય અતિરિક્ત ડિપોઝિટ પેટે રાખવામાં આવેલું માર્જિન જ છૂટું કરાવી શકે છે.
- એક્સચેન્જની લેણી રકમ ચુકવવામાં આવી હોય તો જ એક્સચેન્જ અતિરિક્ત સિક્યોરિટી ડિપોઝિટ છૂટી કરવાની વિનંતી પર વિચાર કરશે.
- સભ્યે ડિપોઝિટની એ રકમ માર્જિન તરીકે ઉપયોગમાં લીધી નહીં હોય તો જ તેને છૂટી કરવા માટેની વિનંતી પર વિચાર કરવામાં આવશે.
- એક્સચેન્જે નક્કી કરેલા સ્વરૂપમાં જ વિનંતી મોકલવામાં આવવી જોઈએ.
- રકમ છૂટી કરવાને પગલે જો માર્જિન પાત્ર ડિપોઝિટના 90 ટકા કરતાં વધારે પ્રમાણમાં વપરાઈ જતું હોય તો તે વિનંતીનો અસ્વીકાર કરવામાં આવશે.
|
|
|
|
 |
પાત્ર ડિપોઝિટનું મૂલ્ય જાણવા માટે મૂલ્યાંકનની કઈ રીત અપનાવવામાં આવે છે? |
|
સભ્યની કોલેટરલ ડિપોઝિટ માટેની ગણતરી કરવા માટે નીચેની રીત અપનાવાય છેઃ
- જે સભ્યની રોકડ રૂ।. 50 લાખ કરતાં ઓછી હોયઃ
મર્યાદાઃ રોકડ + લઘુતમ (રોકડના ત્રણ ગણા, બૅન્ક ગેરંટી + ફિક્સ્ડ ડિપોઝિટ) + (લઘુતમ (રોકડ + લઘુતમ (રોકડના ત્રણ ગણા, બૅન્ક ગેરંટી + ફિક્સ્ડ ડિપોઝિટ)), (વેરહાઉસ રસીદ + સિક્યોરિટી)
- જે સભ્ય લઘુતમ રૂ।. 50 લાખની રોકડ ધરાવતા હોય (સાથે સાથે તેમણે રૂ।. 50 લાખની રોકડ જાળવી રાખવાની બાંયધરી આપી હોય).
મર્યાદાઃ રોકડ+બૅન્ક ગેરંટી+ફિક્સ્ડ ડિપોઝિટ+ (લઘુતમ (રોકડ+બૅન્ક ગેરંટી+ફિક્સ્ડ ડિપોઝિટ), (વેરહાઉસ રસીદ + સિક્યોરિટી))
- મૂલ્યાંકનના આધારે માર્જિનની મર્યાદાઓ સિસ્ટમમાં અપલોડ કરવામાં આવે છે.
- જ્યારે પણ સભ્ય માર્જિન વધારવા કે છૂટું કરાવવાની વિનંતી કરે ત્યારે દર વખતે સિસ્ટમ ઉપર જણાવાયેલી રીતના આધારે માર્જિનની પાત્ર રકમની પુનઃ ગણતરી કરે છે.
- આ રીતે સિસ્ટમમાં ગણતરીમાં લેવાયેલી મર્યાદાના આધારે સભ્યો બજારમાં એક્સપોઝર લઈ શકે છે.
|
|
|
|
 |
ફિક્સ્ડ ડિપોઝિટ રસીદ/બૅન્ક ગેરંટી ઓછામાં ઓછી કેટલી મુદતની હોવી જોઈએ? |
|
અતિરિક્ત માર્જિન ડિપોઝિટ પેટે હોય તો ઓછામાં ઓછા ત્રણ મહિના માટે અને સિક્યોરિટીઝ ડિપોઝિટ (પ્રારંભિક માર્જિન) પેટે હોય તો ઓછામાં ઓછા 36 મહિના માટે ફિક્સ્ડ ડિપોઝિટ રસીદ આપવામાં આવવી જોઈએ.
બૅન્ક ગેરંટી અતિરિક્ત ડિપોઝિટ પેટે હોય તો ઓછામાં ઓછા ત્રણ મહિના વત્તા 1 મહિનાના દાવાના સમયગાળા માટે બનાવવામાં આવવી જોઈએ અને સિક્યોરિટી ડિપોઝિટ (પ્રારંભિક માર્જિન) પેટે હોય તો ઓછામાં ઓછા 12 મહિના વત્તા 1 મહિનાના દાવાના સમયગાળા માટે બનાવવામાં આવવી જોઈએ. |
|
|
|
 |
એફડીઆર/બૅન્ક ગેરંટી કોના નામે આપવામાં આવવી જોઈએ? |
|
એફડીઆર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિ. અકાઉન્ટ (ક્લીયરિંગ મેમ્બરનું નામ) અથવા એમસીએક્સ અકાઉન્ટ (ક્લીયરિંગ મેમ્બરનું નામ)ની તરફેણમાં બનાવવામાં આવવી જોઈએ.
બૅન્ક ગેરંટી મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડના નામે બનાવવામાં આવવી જોઈએ. |
|
|
|
 |
સભ્ય ત્રીજા પક્ષની (થર્ડ પાર્ટી) બૅન્ક ગેરંટી/એફડીઆર આપી શકે? |
|
|
|
|
 |
બૅન્ક ગેરંટી કેટલા મૂલ્યના સ્ટેમ્પ પેપર પર બનાવવામાં આવવી જોઈએ? |
|
| રૂ।. 300નું સ્ટેમ્પ પેપર અને જે રાજ્યમાં બૅન્ક ગેરંટી બનાવવામાં આવી હોય ત્યાં લાગુ પડતું મૂલ્ય એ બન્નેમાંથી જે રકમ વધારે હોય તેટલી રકમના બિન-અદાલતી સ્ટેમ્પ પેપર પર બૅન્ક ગેરંટી બનાવવામાં આવવી જોઈએ. |
|
|
|
 |
કોલેટરલ સંબંધિત દસ્તાવેજો કયા સરનામે મોકલવામાં આવવા જોઈએ? |
|
ક્લીયરિંગ એન્ડ સેટલમેન્ટ ખાતું મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ, ત્રીજે માળે, એક્સચેન્જ સ્ક્વેર, સુરેન રોડ, અંધેરી (પૂર્વ), મુંબઈ 400093 |
|
|
|
 |
સભ્ય અતિરિક્ત સિક્યોરિટી ડિપોઝિટ તરીકે ઈક્વિટી શેર કેવી રીતે જામીન રાખી શકે છે? |
|
- સભ્યોએ સિક્યોરિટીઝ ડિપોઝિટ કરવા માટે એક્સચેન્જના માન્યતાપ્રાપ્ત કસ્ટોડિયન પાસે અલગથી બેનિફિશિયરી ડિમેટ અકાઉન્ટ ખોલાવવું પડે છે.
- આ હેતુસર વ્યક્તિગત સભ્યપદ ધરાવતા સભ્યોના નામે સિક્યોરિટીઝ હોય તો તેમણે પોતાના નામે અકાઉન્ટ ખોલાવવું પડે. ભાગીદારી પેઢી સભ્યપદ ધરાવતી હોય અને ભાગીદારોના નામે શેર હોય તો તેમણે ભાગીદારોના નામે અકાઉન્ટ ખોલાવવું પડે. કોર્પોરેટ બોડી સભ્યોએ કોર્પોરેટના નામે અથવા તેના ડેઝિગ્નેટેડ ડિરેક્ટરોના નામે શેર હોય તો કોર્પોરેટના નામે અકાઉન્ટ ખોલાવવું પડે. આવું અકાઉન્ટ ફક્ત સિક્યોરિટીઝની ડિપોઝિટ રાખવા માટે ખોલાવવામાં આવવું જોઈએ.
|
|
|
|
 |
ઈક્વિટી શેર જામીન રાખવા માટેના માન્યતાપ્રાપ્ત કસ્ટોડિયન કોણ હોય છે? |
|
સરનામું
એચડીએફસી બૅન્ક લિમિટેડ
લોઢા-1, થિંક ટેક્નૉ કેમ્પસ,
આલ્ફા બિલ્ડીંગ, આઠમા માળે,
કાંજુરમાર્ગ રેલવે સ્ટેશનની બાજુમાં,
કાંજુરમાર્ગ (પૂર્વ), મુંબઈ 400042
સંપર્ક માટેની વ્યક્તિ
શ્રી શિવયોગી કુબસડ
રિલેશનશિપ મૅનેજર કોમોડિટી બિઝનેસ
સંપર્ક માટેની વિગતો
ફોન નં: 022 – 30752877
ઈ-મેઇલ: Shivayogi.kubasad@hdfcbank.com |
|
|
|
 |
કયા ઈક્વિટી શેર જામીન તરીકે રાખી શકાય? |
|
એક્સચેન્જના સભ્યો 1956ના સિક્યોરિટીઝ કોન્ટ્રેક્ટ (રેગ્યુલેશન્સ) ઍક્ટની કલમ 2(એચ) હેઠળ વ્યાખ્યા પામેલી અને એક્સચેન્જના કસ્ટોડિયન પાસે ડિમેટ સ્વરૂપમાં રખાયેલી સિક્યોરિટીઝ અતિરિક્ત ડિપોઝિટ પેટે આપી શકે છે.
માન્યતાપ્રાપ્ત ઈક્વિટી શેરની યાદી
એક્સચેન્જ માન્યતાપ્રાપ્ત ઈક્વિટી શેરની નવી યાદી બહાર પાડી શકે છે અથવા યાદીમાં ફેરફાર કરી શકે છે અને સમયાંતરે માર્જિન/હેર-કટની આવશ્યક્તામાં પણ ફેરફાર કરી શકે છે. |
|
|
|
 |
અતિરિક્ત માર્જિન પેટે મહત્તમ કેટલા મૂલ્યના ઈક્વિટી શેર એક્સચેન્જમાં જામીન રાખી શકાય છે? |
|
સભ્ય પાસેથી નીચે જણાવાયેલી મહત્તમ મર્યાદા સુધીની અથવા એક્સચેન્જે સમયાંતરે નક્કી કરેલી મર્યાદા અનુસારના ઈક્વિટી શેરનો સ્વીકાર કરવામાં આવશે.
- સિંગલ આઇએસઆઇએનના શેર (એક કંપની ગ્રુપ 1) - મહત્તમ મર્યાદા રૂ।. 500 લાખ
- સિંગલ આઇએસઆઇએનના શેર (એક કંપની ગ્રુપ 2) - મહત્તમ મર્યાદા રૂ।. 200 લાખ
- તમામ આઇએસઆઇએનના શેર (સંયુક્તપણે) - મહત્તમ મર્યાદા રૂ।. 2500 લાખ
|
|
|
|
 |
જામીન તરીકે કઈ સિક્યોરિટીઝ સ્વીકાર્ય/પાત્ર નથી? |
|
નીચે જણાવાયેલી સિક્યોરિટીઝ સિક્યોરિટી ડિપોઝિટના હેતુસર સ્વીકારવામાં નહીં આવે.
- માન્યતાપ્રાપ્ત યાદીમાં ન હોય તે સિક્યોરિટીઝ;
- પાર્ટલી પેઈડ અપ સિક્યોરિટીઝ;
- કોઈપણ પ્રકારનો લોક ઈન સમયગાળો, બાય બૅક સ્કીમ, કોઈ ચાર્જ અથવા લીન, કોઈપણ પ્રકારનો ગિરો જેને લાગુ પડતાં હોય અથવા જેનું ટાઇટલ કોઈ અદાલત કે નિયમનકારી સત્તા સમક્ષ વાદગ્રસ્ત હોય અથવા એવી કોઈ અન્ય મર્યાદા લાગુ હોય એવી સિક્યોરિટીઝ;
- ક્લીયરિંગ મેમ્બરના નામે ન હોય એવી સિક્યોરિટીઝ
|
|
|
|
 |
એક્સચેન્જે જામીન રખાયેલી સિક્યોરિટીઝ માટે કઈ મર્યાદા રાખેલી છે? |
|
| એક્સચેન્જે સમયાંતરે લાગુ કરેલા લઘુતમ માર્જિન/હેર-કટ (આજની તારીખે વાર-વેલ્યૂ એટ રિસ્ક) જામીન રખાયેલી સિક્યોરિટીઝને લાગુ પડશે. |
|
|
|
 |
જામીન તરીકે રખાયેલી સિક્યોરિટી એક્સચેન્જની માન્યતાપ્રાપ્ત યાદીમાંથી કાઢી નાખવામાં આવે તો શું થાય? |
|
| જો કોઈ સિક્યોરિટી એક્સચેન્જની માન્યતપ્રાપ્ત સિક્યોરિટીઝની યાદીમાંથી કાઢી નાખવામાં આવે તો સભ્યે વહેલામાં વહેલી તકે અથવા એક્સચેન્જે નક્કી કરેલી સમયમર્યાદામાં તેની જગ્યાએ માન્યતાપ્રાપ્ત અન્ય સિક્યોરિટી આપવી જરૂરી છે, કારણ કે કાઢી નખાયેલી સિક્યોરિટીનું જેટલું મૂલ્ય લાગુ પડતું હોય તેટલું મૂલ્ય અતિરિક્ત સિક્યોરિટી ડિપોઝિટની રિયલ ટાઇમ ધોરણે થતી ગણતરીમાંથી ઘટી જાય છે. |
|
|
|
 |
સભ્ય અતિરિક્ત સિક્યોરિટી ડિપોઝિટ પેટે કોમોડિટી/વેરહાઉસ રસીદ કઈ રીતે જામીન તરીકે રાખી શકે છે? |
|
| સભ્યો એક્સચેન્જે નીમેલાં/એક્સચેન્જની માન્યતા ધરાવતાં વેરહાઉસ/વોલ્ટમાં ભૌતિક સ્વરૂપે અથવા ડિમેટ સ્વરૂપે રાખવામાં આવેલી માન્યતાપ્રાપ્ત કોમોડિટીની વેરહાઉસ રસીદ જમા કરી શકે છે. આ વેરહાઉસ રસીદ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડના નામે જામીન રાખવામાં આવેલી હોવી જોઈએ. |
|
|
|
 |
હાલમાં કઈ કોમોડિટી જામીન તરીકે રાખી શકાય છે? |
|
| અનુક્રમ |
કોમોડિટી |
| 1 |
એલચી |
| 2 |
ચણા |
| 3 |
સોનું |
| 4 |
સોનું ગિની |
| 5 |
ગુવારસીડ |
| 6 |
મેંથા તેલ |
| 7 |
બટેટાં (આગ્રા) |
| 8 |
બટેટાં (તારકેશ્વર) |
| 9 |
રબર |
| 10 |
ચાંદી |
| 11 |
ખાંડ એમ |
| |
|
|
| એક્સચેન્જ માન્યતાપ્રાપ્ત કોમોડિટીની યાદી અને માર્જિન/હેર-કટને લગતી આવશ્યક્તાઓ નવેસરથી બહાર પાડી શકે છે અથવા પ્રવર્તમાન માન્યતાપ્રાપ્ત કોમોડિટીમાં ફેરફાર કરી શકે છે. |
|
|
|
 |
અતિરિક્ત માર્જિન પેટે એક્સચેન્જમાં મહત્તમ કેટલા મૂલ્યની કોમોડિટી જામીન તરીકે રાખી શકાય છે? એક્સચેન્જે જામીન કોમોડિટી માટે કેટલી મર્યાદા રાખી છે? |
|
જામીન તરીકે રાખવામાં આવેલી કોમોડિટીને એક્સચેન્જે સમયાંતરે લાગુ કરેલું લઘુતમ માર્જિન/હેર-કટ લાગુ પડશે. એક્સચેન્જ જામીન તરીકે રાખવામાં આવેલી વેરહાઉસ રસીદનું મૂલ્યાંકન નિર્ધારિત હેર-કટ લાગુ કર્યા બાદ કરે છે. હેર-કટ બાદ મળેલા મૂલ્યની મર્યાદા નક્કી કરવામાં આવી હોય છે. તેમાં દરેક ગ્રુપ માટે મહત્તમ મર્યાદા અને માર્જિનના ગુણોત્તરના મૂલ્યાંકનનો માપદંડ નક્કી હોય છે.
માન્યતાપ્રાપ્ત કોમોડિટીની યાદી જામીન તરીકે રખાયેલી તમામ કોમોડિટી (સંયુક્તપણે)ની વેરહાઉસ રસીદને મહત્તમ રૂ।. 50 કરોડની મર્યાદા લાગુ પડશે. |
|
|
|
 |
અતિરિક્ત સિક્યોરિટી ડિપોઝિટ પેટે કઈ વેરહાઉસ રસીદો જામીન તરીકે રાખવાને પાત્ર નથી/સ્વીકાર્ય નથી? |
|
સિક્યોરિટી ડિપોઝિટ પેટે રાખવા માટે નીચે જણાવાયેલી વેરહાઉસ રસીદનો સ્વીકાર કરવામાં નહીં આવેઃ
- જેની લીન એક્સચેન્જની તરફેણમાં ન હોય તે વેરહાઉસ રસીદ
- માન્યતાપ્રાપ્ત કોમોડિટીની યાદીમાં સ્થાન ન હોય તે કોમોડિટીની વેરહાઉસ રસીદ
- જે કોમોડિટીનું ગુણવત્તા પ્રમાણપત્ર એક્સચેન્જની માન્યતાપ્રાપ્ત ગુણવત્તા પરીક્ષક પાસેથી ન મેળવાયું હોય તેની વેરહાઉસ રસીદ
- જે કોમોડિટીનું ગુણવત્તા પ્રમાણપત્ર વૈધ ન હોય અથવા તેની મુદત પૂરી થઈ ગઈ હોય અથવા ડિપોઝિટ અપાયાની તારીખથી પાંચ દિવસની અંદર જ મુદત પૂરી થતી હોય તેની વેરહાઉસ રસીદ
- નિર્ધારિત વેરહાઉસ/વોલ્ટમાં ન હોય તે કોમોડિટીની વેરહાઉસ રસીદ
- કોઈપણ પ્રકારની લીન કે ચાર્જ લાગુ હોય, જે ગિરો હોય અથવા જેનું ટાઇટલ કોઈ અદાલત કે નિયમનકારી સત્તા સમક્ષ વાદગ્રસ્ત હોય અથવા એવી કોઈ અન્ય મર્યાદા લાગુ હોય એવી વેરહાઉસ રસીદ
|
|
|
|
 |
એક્સચેન્જને અતિરિક્ત સિક્યોરિટી ડિપોઝિટ પેટે આપવા માટેની વેરહાઉસ રસીદ પર જામીન કઈ રીતે ઊભી કરી શકાય છે? |
|
સભ્યો અને કોઈ સંયુક્ત ધારક હોય તો તેમની સાથે એક્સચેન્જની તરફેણમાં જામીન બનાવીને એક્સચેન્જે માન્ય રાખેલી કોમોડિટીની વેરહાઉસ રસીદ આપી શકાય છે. નીચે જણાવેલા દસ્તાવેજો એક્સચેન્જને આપવાના હોય છેઃ
- યોગ્ય રીતે જામીન કરાયેલી માન્યતાપ્રાપ્ત કોમોડિટીની વેરહાઉસ રસીદ તથા વૈધ ગુણવત્તા પ્રમાણપત્ર
- એક્સચેન્જે નક્કી કરેલા સ્વરૂપમાં રૂ।. 300ના અથવા જો જામીન ખત મહારાષ્ટ્રમાં કરવામાં આવ્યું હોય તો તે કરારને લાગુ પડતી નિર્ધારિત રકમના બિન-અદાલતી સ્ટેમ્પ પેપર પર જામીન ખત કરવાનું હોય છે. જો જામીન ખત મહારાષ્ટ્રની બહાર કરવામાં આવ્યું હોય તો તે રાજ્યમાં પ્રવર્તમાન સ્ટેમ્પ ડ્યૂટી જામીન ખત બનાવતી વખતે ચુકવવાની રહેશે અને (મહારાષ્ટ્રમાં સ્ટેમ્પ ડ્યૂટી વધારે હોય તો) તફાવતની રકમની સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની રહેશે. મહારાષ્ટ્રમાં સ્ટેમ્પ કરાયાના ત્રણ મહિનાની અંદર આ તફાવતની સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની રહેશે. આ ખત પર ભરવાની સ્ટેમ્પ ડ્યૂટીની તફાવતની રકમ મહારાષ્ટ્રની સ્ટેમ્પ ડ્યૂટીની રકમમાંથી ભારતમાં લાગુ કોઈ કાયદા હેઠળ પહેલેથી ચુકવાઈ હોય એ રકમ બાદ કરીને મળતી રકમ જેટલી હશે. વિકલ્પ એ છે કે મહારાષ્ટ્રમાં લાગુ પડતી સ્ટેમ્પ ડ્યૂટી અને જ્યાં ખત તૈયાર કરાયું છે તે અન્ય રાજ્યમાં લાગુ પડતી સ્ટેમ્પ ડ્યૂટી એ બન્નેમાંથી જે વધારે હશે તેટલી રકમની સ્ટેમ્પ ડ્યૂટી ભરી શકાય છે.
- કોર્પોરેટ બોડી હોય તો બોર્ડના સંબંધિત ઠરાવની પ્રમાણિત ટ્રુ કોપી
- સભ્યો અને જો કોઈ સંયુક્ત ધારક હોય તો તેમણે એક્સચેન્જની તરફેણમાં જામીન તરીકે રાખવાની વેરહાઉસ રસીદ માટે વેરહાઉસ/વોલ્ટને જામીન સંબંધેલી આવશ્યક સૂચનાઓ આપવાની રહેશે. જામીન રખાયેલી વેરહાઉસ રસીદનો સ્વીકાર કરવામાં આવ્યા બાદ એક્સચેન્જ પોતે લાગુ કરેલા માર્જિનની સંબંધિત ટકાવારી/હેર-કટ લાગુ કરીને વેરહાઉસ રસીદનું મૂલ્યાંકન કરશે અને તેને અતિરિક્ત માર્જિન ડિપોઝિટ ગણવામાં આવશે.
|
|
|
|
 |
સભ્યે એક્સચેન્જની તરફેણમાં જામીન તરીકે રાખેલી વેરહાઉસ રસીદ છૂટી કરાવવા માટેની પ્રક્રિયા કઈ? |
|
- સભ્યો જામીન પેટે રખાયેલી વેરહાઉસ રસીદ જ્યારે જોઈએ ત્યારે પાછી ખેંચી શકે છે અથવા તેના સ્થાને નવી આપી શકે છે.
- સભ્યોને સૂચના છે કે એક્સચેન્જે નક્કી કરેલા સ્વરૂપમાં જ્યારે જોઈએ ત્યારે જામીન પેટે રખાયેલી વેરહાઉસ રસીદ પાછી ખેંચવા માટેની અરજી કરતો પત્ર તેમણે સુપરત કરવાનો રહેશે.
- એક્સચેન્જ નીચેના સંજોગોમાં આ અરજ ઉપર વિચાર કરશેઃ
- જો તે સભ્યે કોઈ જવાબદારી નિભાવવાની બાકી ન હોય/તેમનાં કોઈ ઊભાં ઓળિયાં ન હોય/એક્સચેન્જને ચુકવવાની રકમ બાકી ન હોય અને એક્સચેન્જના નિયમો, પેટા નિયમો તથા વેપારના નિયમો હેઠળ સભ્યની અન્ય કોઇ લાયેબિલિટી ન હોય અને
- એ જામીન છૂટી કરવાથી કોઈ જોખમ ઊભું નહીં થાય એવી એક્સચેન્જને ખાતરી હોય.
- સભ્યે વેરહાઉસ રસીદ પાછી ખેંચવા માટે કરેલી વિનંતી મળ્યા બાદ એક્સચેન્જ તેના સંબંધે કાર્યવાહી કરીને પોતાના નામે રખાયેલી જામીન રદ કરવા માટે વેરહાઉસ/વોલ્ટને પત્ર મોકલશે અને સભ્યની વેરહાઉસ રસીદ છૂટી કરશે.
|
|
|
|
 |
સભ્યોને તેમની કોલેટરલનું નવીનીકરણ કરાવવા માટે કઈ સૂચના આપવામાં આવે છે? |
|
| સભ્યોને બૅન્ક ગેરંટી/એફડીઆર/વેરહાઉસ રસીદની મુદત પૂરી થવાના પંદર દિવસ પહેલાંથી મુદત પૂરી થવાના દિવસ સુધી
દરરોજ ઓબ્લિગેશન રિપોર્ટ દ્વારા તથા એસએફટીપી પરની ''MCX_ExpiringCollateral_MemberID_YYYYMMDD.csv'' નામની કોલેટરલ એક્સપાયરી રિપોર્ટ ફાઇલ દ્વારા સૂચના આપવામાં આવે છે. |
|
|
|
 |
કોલેટરલ ડિપોઝિટની આવશ્યક્તા પૂરી કરવાની બાબતે સભ્યોને ક્યારે સસ્પેન્ડ કરવામાં આવે છે? |
|
| પ્રારંભિક સિક્યોરિટી ડિપોઝિટ પેટે આપવામાં આવેલી કોલેટરલની મુદત પૂરી થઈ જાય અને તેનું નવીનીકરણ કરવામાં ન આવે અથવા તેની જગ્યાએ નવી કોલેટરલ આપવામાં ન આવે અને તેને કારણે લઘુતમ પ્રારંભિક સિક્યોરિટી ડિપોઝિટ રહે નહીં એવા સંજોગોમાં તે પછીના ટ્રેડિંગ દિવસે સભ્યને સસ્પેન્ડ કરવામાં આવે છે. |
|
|
|
 |
એક્સચેન્જના ટ્રેડિંગના કલાકો કયા? |
|
એક્સચેન્જમાં અલગ અલગ કોમોડિટી માટેના સોમવારથી શનિવાર સુધીના કામકાજના કલાકો આ પ્રમાણે છેઃ
- સોમવારથી શુક્રવારઃ સવારે 10.00થી સાંજે 5.00 - તમામ કૃષિ કોમોડિટી
- સોમવારથી શુક્રવારઃ સવારે 10.00થી રાત્રે 11.30 - ઉપર જણાવ્યા મુજબની કૃષિ કોમોડિટી સિવાયની તમામ કોમોડિટી
- શનિવારઃ સવારે 10.00થી બપોરે 2.00 - તમામ કોમોડિટી
એક્સચેન્જ પોતાને યોગ્ય અને આવશ્યક લાગે ત્યારે કોઈપણ ટેક્નિકલ કે કામકાજસંબંધી કારણોસર સભ્યોને જાણ કર્યા બાદ કામકાજના સમયગાળામાં વધારો કે ઘટાડો કરી શકે છે. |
|
|
|
 |
કયા અલગ અલગ પ્રકારનાં માર્જિન હોય છે? તેની ગણતરી કરવા માટેની પદ્ધતિ કઈ? |
|
| માર્જિનનો પ્રકાર |
વિવરણ |
| પ્રારંભિક માર્જિન |
પોર્ટફોલિયો આધારિત માર્જિનની ગણતરીની સિસ્ટમ -SPAN®*નો ઉપયોગ કરીને પ્રારંભિક માર્જિનની ગણતરી કરવામાં આવશે. |
| અતિરિક્ત માર્જિન |
એક્સચેન્જ અથવા નિયમનકારી સત્તાએ જોખમ વ્યવસ્થાપન માટે લાગુ કરેલું આ માર્જિન બજારનાં તમામ ઊભાં ઓળિયાંને લાગુ કરવામાં આવશે. |
| વિશેષ માર્જિન |
પ્રારંભિક અને અતિરિક્ત માર્જિન ઉપરાંતનું આ માર્જિન હોય છે. લોંગ અથવા તો શોર્ટ ઊભાં ઓળિયાંમાંથી કોઈપણ એક પર આવું માર્જિન લાગુ કરવામાં આવે છે. |
| ઇન્ક્રીમેન્ટલ/ટેન્ડર સમયગાળાનું માર્જિન |
કોન્ટ્રેક્ટના ટેન્ડર સમયગાળા દરમિયાન લાગુ પડતાં આ ઓનલાઇન માર્જિન તે કોન્ટ્રેક્ટ પાકે ત્યાર સુધી તમામ ઊભાં ઓળિયાં પર લાગુ પડે છે. |
| ડિલિવરી માર્જિન |
ડિલિવરી માટે માર્ક કરાયેલાં તમામ ઊભાં ઓળિયાં પર માર્જિન લાગુ કરવામાં આવશે. |
| |
|
|
| સામાન્ય (પ્રારંભિક) માર્જિન |
પ્રારંભિક માર્જિનની ગણતરી SPAN®*નો ઉપયોગ કરીને કરવામાં આવે છે. આ સિસ્ટમ પોર્ટફોલિયો આધારિત માર્જિનની ગણતરીની છે. SPAN®* સભ્યના દરેક ક્લાયન્ટ માટે તેમના કોન્ટ્રેક્ટના પોર્ટફોલિયોમાં રહેલા એકંદર જોખમનો અંદાજ કાઢે છે.
SPAN®* કોન્ટ્રેક્ટના પોર્ટફોલિયોની માર્જિન માટેની આવશ્યક્તાની ગણતરી કરે છે. SPAN®*નો મુખ્ય ઉદ્દેશ કોઈ એક દિવસ અને તેના પછીના દિવસ સુધીના સમયગાળામાં પોર્ટફોલિયોમાં વધુમાં વધુ કેટલા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે તેનું પ્રમાણ નક્કી કરવાનો હોય છે. |
| |
| ઇન્ટ્રાડે અને એન્ડ ઓફ ધ ડે |
કામકાજના કલાકો દરમિયાન SPAN®* માર્જિનની ગણતરીના માપદંડમાં એક્સચેન્જ/ક્લીયરિંગ કોર્પોરેશને સમયાંતરે નક્કી કર્યા પ્રમાણે ફેરફાર કરવામાં આવશે. ટ્રેડિંગના પ્રારંભ અને અંત સમય ઉપરાંત સવારે 10.30, બપોરે 1.30, સાંજે 5.00, સાંજે 7.00, સાંજે 8.30 અને રાત્રે 10.30 વાગ્યે ભાવના આધારે માપદંડમાં ફેરફાર કરવામાં આવશે. આ રીતે બદલાયેલા માપદંડના આધારે બનેલી રિસ્ક પેરામીટર ફાઇલ (આરપીએફ) સભ્યોને નિર્ધારિત પાથ પરથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. સભ્યો તે ફાઇલમાંના ડેટા પોતાના કોન્ટ્રેક્ટના પોર્ટફોલિયોને લાગુ કરીને પોતાની SPAN®* માર્જિનની આવશ્યક્તા જાણી શકે છે.
SPAN®* પોર્ટફોલિયોમાં રહેલા જોખમના પ્રમાણનો અંદાજ કાઢશે અને બદલાતા રહેતા બજારના સંજોગોના આધારે તેનો અંદાજ બદલાતો રહે છે. |
| |
| વિશેષ માર્જિન |
| વિશેષ માર્જિન પ્રારંભિક માર્જિન ઉપરાંતનું હોય છે. તે ખરીદી અને વેચાણ બન્ને બાજુએ લાગુ કરવામાં આવે છે. એક્સચેન્જ જાતે અથવા એફએમસી (વાયદા બજાર પંચ)ની સૂચનાના આધારે તે લાગુ કરે છે. |
| |
| ટેન્ડર સમયગાળાનું/ડિલિવરી સમયગાળાનું માર્જિન |
કોન્ટ્રેક્ટ પૂરો થવા આવે તે વખતે તે ટેન્ડર સમયગાળામાં/ડિલિવરી સમયગાળામાં આવી જાય તે વખતે ટેન્ડર સમયગાળાનું માર્જિન લાગુ કરવામાં આવે છે. કોન્ટ્રેક્ટનાં ધોરણોમાં નક્કી કરાયેલા પ્રમાણમાં ટેન્ડર સમયગાળાનું માર્જિન લાગુ કરવામાં આવે છે અને તે ખરીદી તથા વેચાણનાં તમામ ઊભાં ઓળિયાંને લાગુ પડે છે. કોન્ટ્રેક્ટ પાકે તે દિવસ અથવા ડિલિવરીની જવાબદારીના નામે ચડાવવામાં આવે એ બન્નેમાંથી જે દિવસ પહેલાં આવે ત્યાર સુધી આ માર્જિન અમલમાં રહે છે.
ડિલિવરી સમયગાળાનું માર્જિન નામે કરાયેલા જથ્થા પર લાગુ કરવામાં આવે છે. નિર્ધારિત દરનો ગુણાકાર સંબંધિત કોમોડિટી માટેના કોન્ટ્રેક્ટની સમાપ્તિ વખતના નામે ચડાવાયેલા જથ્થા સાથે કરીને આ માર્જિન નક્કી કરવામાં આવે છે. જ્યારે વેચાણકર્તા સર્વેયરના પ્રમાણપત્ર સાથે ડિલિવરીના દસ્તાવેજો સુપરત કરે ત્યારે વહેલું પે-ઇન ગણીને તેમનાં ઓળિયાંમાં ઘટાડો કરવામાં આવે છે અને તેટલા પ્રમાણમાં તેમનું ટેન્ડર સમયગાળાનું/ડિલિવરી સમયગાળાનું માર્જિન ઘટાડવામાં આવે છે. જ્યારે ખરીદદાર પોતાને ફાળવાયેલી ડિલિવરી માટે પૈસાની ચુકવણી કરે ત્યારે તેમનું ડિલિવરી સમયગાળાનું માર્જિન તેમણે જેટલા જથ્થા માટે ચુકવણી કરી હોય તેના પ્રમાણમાં ઘટાડવામાં આવે છે. જો અમુક ઊભાં ઓળિયાં બાબતે ડિલિવરી થાય નહીં અને છેવટે પાકતી તારીખના દરના આધારે તેની આખરી પતાવટ થાય ત્યારે તે ક્લોઝિંગ આઉટના આધારે નક્કી થતા તફાવતની પતાવટ થયે ડિલિવરી સમયગાળાનું માર્જિન છૂટું કરવામાં આવે છે. |
|
|
|
 |
બંધ ભાવ એટલે શું અને તેની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે? |
|
ટ્રેડિંગના દિવસના અંતે સિસ્ટમમાં ટ્રેડ થયેલા દરેક કોન્ટ્રેક્ટ માટેના બંધ ભાવની ગણતરી સિસ્ટમ કરે છે. તેની ગણતરીની રીત આ પ્રમાણે છેઃ
- ટ્રેડિંગના દિવસની છેલ્લી 30 મિનિટ દરમિયાન થયેલા તમામ સોદાના વેઇટેડ એવરેજ ભાવ જેટલો જ બંધ ભાવ નક્કી કરવામાં આવે છે.
- • જો છેલ્લી 30 મિનિટમાં સોદાની સંખ્યા 5 કરતાં ઓછી હોય તો છેલ્લા 5 સોદાનો વેઇટેડ એવરેજ ભાવ ધ્યાનમાં લેવાય છે.
- • જો ટ્રેડિંગના દિવસ દરમિયાનની સોદાની સંખ્યા 5 કરતાં ઓછી હોય તો તમામ સોદાની વેઇટેડ એવરેજ લેવામાં આવે છે.
- • જો દિવસ દરમિયાન એકપણ સોદો થયો ન હોય તો આગલા દિવસના સત્તાવાર બંધ ભાવને જ તે દિવસનો બંધ ભાવ ગણવામાં આવે છે.
આવા સંજોગોમાં એક્સચેન્જ માર્ક ટુ માર્કેટ માટે બંધ ભાવમાં ફેરફાર કરવાનો અધિકાર ધરાવે છે. |
|
|
|
 |
પાકતી તારીખનો ભાવ (ડ્યૂ ડેટ રેટ) એટલે શું? |
|
| કોન્ટ્રેક્ટ પાકે ત્યારે જે દરે તેની પતાવટ કરવામાં આવે તેને પાકતી તારીખનો ભાવ કહેવાય. આ ભાવની ગણતરી માટેની રીત દરેક કોમોડિટી માટે અલગ અલગ હોય છે અને તે રીત કોન્ટ્રેક્ટનાં ધોરણોમાં પહેલેથી જણાવાયેલી હોય છે. |
|
|
|
 |
પતાવટના ખાતું બદલવાની રીત કઈ? |
|
પતાવટ અને ક્લાયન્ટ ખાતું એકમાંથી બીજી ક્લીયરિંગ બૅન્કમાં ખસેડવા ઇચ્છુક સભ્યે નીચે જણાવાયેલા દસ્તાવેજોની સાથે પરિપત્ર ક્ર. 173/2005માં જણાવ્યા પ્રમાણેના સ્વરૂપમાં એમસીએક્સને લેખિતમાં જાણ કરવાની રહેશેઃ
- ક્લીયરિંગ બૅન્ક બદલવા માટેનો વિનંતીપત્ર
- પ્રવર્તમાન ક્લીયરિંગ બૅન્ક પાસેથી મેળવાયેલું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી)
- સભ્યના પતાવટ અકાઉન્ટ નંબર તથા ક્લાયન્ટ અકાઉન્ટ નંબરને પુષ્ટિ આપતો નવી ક્લીયરિંગ બૅન્કનો પત્ર
- નવી ક્લીયરિંગ બૅન્કમાં ખોલાવાયેલાં નવાં બૅન્ક અકાઉન્ટની સભ્યને જાણ કરતો પત્ર [પતાવટના અને ક્લાયન્ટ અકાઉન્ટની વિગતો તેમાં લખવામાં આવવી જોઈએ અને અકાઉન્ટ 'એમસીએક્સ પતાવટ અકાઉન્ટ (સભ્યનું નામ)' અને 'એમસીએક્સ ક્લાયન્ટ અકાઉન્ટ (સભ્યનું નામ)' એ નામે હોવાં જોઈએ].
- સભ્ય જે તારીખથી ક્લીયરિંગ બૅન્ક બદલવા ઇચ્છતા હોય તે જણાવતો પત્ર.
ઉપરોક્ત દસ્તાવેજો મળ્યા બાદ એમસીએક્સ તેને માન્યતા આપ્યા બાદ પોતાના રેકર્ડમાં તેની નોંધ કરશે. ત્યાર પછીનાં ફંડ્સ પે-ઇન/પે-આઉટ સભ્યના નવા પતાવટ ખાતા મારફતે થશે. |
|
|
|
 |
પતાવટ એટલે શું? |
|
સભ્યે કેટલા પૈસા આપવાના અથવા લેવાના નીકળે છે તેની જાણ ક્લીયરિંગ અને પતાવટ ખાતું રોજિંદા ધોરણે કરે છે અને તેની પતાવટ પણ રોજિંદા ધોરણે થાય છે. એમસીએક્સમાં ટી+1 (બૅન્કના કામકાજનો દિવસ)ના ધોરણે અર્થાત્ રોજિંદી પતાવટ અથવા રોજિંદી માર્ક ટુ માર્કેટ પતાવટ.
વાયદાના દરેક કોન્ટ્રેક્ટ સંબંધે રોજિંદો પતાવટનો ભાવ હોય છે. ઓળિયાંની પતાવટ રોજિંદા પતાવટના ભાવે ક્લોઝ આઉટ કરીને અથવા કોન્ટ્રેક્ટ પાકે ત્યારે પાકતી તારીખના ભાવે અને/અથવા ડિલિવરી દ્વારા કરવામાં આવે છે. |
|
|
|
 |
માર્ક ટુ માર્કેટ પતાવટ એટલે શું? |
|
| ટ્રેડિંગના દિવસના અંતે સભ્યનાં જે ઊભાં ઓળિયાં હોય તેના આધારે સભ્યને થયેલા અંદાજિત અને/અથવા વાસ્તવિક નફા કે નુકસાનને સભ્યના પતાવટના ખાતામાં ક્રેડિટ કે ડેબિટ કરવાના કાર્યને માર્ક ટુ માર્કેટ પતાવટ કહેવાય છે. ટ્રેડિંગના દિવસના અંતે ઊભાં ઓળિયાં પરનો અંદાજિત નફો/નુકસાન સંબંધિત કોન્ટ્રેક્ટના સોદાના ભાવને તે કોન્ટ્રેક્ટના બંધ ભાવ સાથેનો સંદર્ભ લઈને ગણવામાં આવે છે. |
|
|
|
 |
સભ્ય દૈનિક માર્ક ટુ માર્કેટ નુકસાન ભરે નહીં તો શું? |
|
જો કોઈ સભ્ય પે-ઇનની પોતાની જવાબદારી પ્રમાણે પૈસા ભરે નહીં તો પે-ઇનની તારીખે સવારે 11.00 વાગ્યા સુધીમાં તેટલી રકમ તેમની કુલ ડિપોઝિટમાંથી અટકાવી દેવાય છે. અટકાવી દેવાયેલી રકમને બાદ કરતાં વધેલી ડિપોઝિટ જ સભ્યના એક્સપોઝર અથવા વાયદાના ટ્રેડિંગ માટે ઉપલબ્ધ રહેશે.
સભ્યની જવાબદારી પેટે તેમના અકાઉન્ટમાં દિવસના અંતે ઊભી રહેલી રકમ ઉપલબ્ધ રોકડ ડિપોઝિટમાંથી લેવામાં આવશે. આ કમી પૂરી કરતી વખતે જો સભ્યની રોકડ સિલક લઘુતમ સિક્યોરિટી ડિપોઝિટ માટેની આવશ્યક રકમ કરતાં ઓછી થઈ જશે તો તે સભ્યને પછીના દિવસે ટ્રેડિંગ કરવા નહીં દેવાય. આવી રીતે સસ્પેન્ડ કરાયેલા સભ્યે સિક્યોરિટી ડિપોઝિટમાં ઘટતી રકમ તથા અન્ય પેન્ડિંગ રકમ ભરવાની રહેશે. તે ભર્યા બાદ જ તેમને ફરીથી ટ્રેડિંગ કરવા દેવાશે. |
|
|
|
 |
પે-ઇન અને પે-આઉટ ક્યારે થાય છે? |
|
| માર્ક ટુ માર્કેટ પતાવટ માટેનું ભંડોળનું પે-ઇન અને પે-આઉટ ટી+1ના ધોરણે કરવામાં આવે છે. તેનો અર્થ એ છે કે સભ્યના નામે જે નુકસાન કે નફો બોલતો હશે તે રકમ ટ્રેડિંગના ત્યાર પછીના દિવસે તેમના બૅન્ક પતાવટ ખાતામાં ડેબિટ કે ક્રેડિટ કરવામાં આવશે. ડિલિવરી આધારિત પતાવટ માટે ભંડોળનું પે-ઇન અને પે-આઉટ વેચાણકર્તાની ડિલિવરીના ઈ+2/ઈ+3ના (ઈ એટલે કોન્ટ્રેક્ટની પાકતી તારીખ) ધોરણે અથવા કોન્ટ્રેક્ટનાં ધોરણોમાં જણાવાયેલા સમયપત્રક પ્રમાણે થશે. |
|
|
|
 |
સભ્ય માટેના માર્ક ટુ માર્કેટ નુકસાનનું મહત્તમ પ્રમાણ કેટલું હોય છે? |
|
| સભ્ય માટેનું માર્ક ટુ માર્કેટ નુકસાનનું મહત્તમ પ્રમાણ તેમની કુલ પાત્ર ડિપોઝિટના 75 ટકા રકમ જેટલું હોય છે. સભ્ય માટેના આ પ્રમાણ કરતાં ડિપોઝિટ ઘટી જાય કે તરત જ ટ્રેડિંગ ટર્મિનલ આપોઆપ 'સ્ક્વેર ઓફ મોડ'માં મુકાઈ જાય છે. |
|
|
|
 |
સભ્યે પોતાના માર્જિનનો પૂરેપૂરો ઉપયોગ કરી લીધો હોય તો તેમણે શું કરવું પડે છે? |
|
સભ્યે પોતાના 100 ટકા માર્જિનનો ઉપયોગ કરી લીધો હોય તો તેમની પાસે નીચે જણાવ્યા પ્રમાણેના વિકલ્પ હોય છેઃ
- પોતાના પતાવટ ખાતામાં અતિરિક્ત માર્જિન જમા કરાવવું અને તેમાંથી ડેબિટ કરવા માટે એક્સચેન્જને જાણ કરવી.
અથવા
- પોતાનાં પ્રવર્તમાન ઓળિયાંને સુલટાવી દેવાં જેથી તેમાંથી નાણાં મળે અને માર્જિન છૂટું કરી શકાય. સભ્યે 100 ટકા માર્જિન વાપરી લીધું હોય તો તેમનાં ટર્મિનલ સ્ક્વેર ઓફ મોડમાં મુકાઈ જાય છે, પરંતુ તેઓ ઓળિયાં સુલટાવવા માટે પોતાનાં ટર્મિનલનો ઉપયોગ કરી શકે છે.
|
|
|
|
 |
માર્ક ટુ માર્કેટમાં થયેલો નફો મારા માર્જિન ખાતામાં ઉમેરી શકાય? |
|
| ના. માર્ક ટુ માર્કેટ નફો સભ્યના પતાવટના ખાતામાં ક્રેડિટ કરવામાં આવે છે. સભ્યે માર્જિન વધારવા માટે નિર્ધારિત સ્વરૂપમાં સૂચના આપવાની હોય છે. |
|
|
|
 |
મારી પાસેથી વિવિધ ચાર્જીસ (દા.ત. યુઝર આઇડી ચાર્જીસ, સોદાના ચાર્જીસ, વગેરે) કઈ રીતે લેવામાં આવશે? |
|
- આ ચાર્જીસ સભ્યના રોજિંદા ઓબ્લિગેશન રિપોર્ટમાં દર્શાવાય છે.
- એક્સચેન્જ સમયાંતરે સભ્યના પતાવટના ખાતામાં આ ચાર્જીસની રકમ ડેબિટ કરે છે
- તેના માટેનાં બિલ સભ્યના એસએફટીપી ફોલ્ડરમાં રાખવામાં આવે છે.
|
|
|
|
 |
એમસીએક્સ પર સોદાના વોલ્યુમ માટે લાગુ પડતા સોદાના ચાર્જીસ કયા? |
|
| એક્સચેન્જમાં નોંધાયેલા સોદાઓ પર એક્સચેન્જ માસિક ધોરણે સોદાની ફી વસૂલ કરે છે. કુલ ટર્નઓવરના મૂલ્યના આધારે આ સોદાની ફી નક્કી કરવામાં આવે છે. ટર્નઓવરના સ્તર તથા તેના માટેના ચાર્જીસ આ પ્રમાણે છેઃ |
|
| સરેરાશ દૈનિક ટર્નઓવર |
સોદાની ફીના દર |
| રૂ।. 250 કરોડ સુધીના ટર્નઓવર માટે |
રૂ।. 2.50 |
| રૂ।. 250 કરોડથી વધારે અને રૂ।. 1000 કરોડ સુધીના ટર્નઓવર માટે |
રૂ।. 1.25 |
| રૂ।. 1000 કરોડ કરતાં વધારે ટર્નઓવર માટે |
રૂ।. 1.00 |
|
|
|
|
 |
સોદાના ચાર્જની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે? |
|
| સોદાના ચાર્જની ગણતરી સરેરાશ દૈનિક ટર્નઓવરના આધારે કરવામાં આવે છે. તમામ કોમોડિટીના બધા કોન્ટ્રેક્ટમાં થયેલું સરેરાશ દૈનિક ટર્નઓવર દર મહિનાના અંતે ગણવામાં આવશે. એક્સચેન્જમાં સભ્યના કુલ ટર્નઓવરનો (શનિવાર સહિત) ટ્રેડિંગના દિવસની કુલ સંખ્યા (શનિવારને બાદ કરતાં)થી ભાગાકાર કરીને આ સરેરાશ કાઢવામાં આવે છે. તેના આધારે સોદાના ચાર્જના સ્તર એક્સચેન્જે સમયાંતરે પરિપત્રમાં જાહેર કર્યા પ્રમાણે લાગુ કરવામાં આવશે. |
|
|
|
 |
લઘુતમ વપરાશ ફી એટલે શું? સભ્ય સક્રિય ન હોય તો પણ તેની ચુકવણી ફરજિયાતપણે કરવાની હોય છે? |
|
| હા. એક્સચેન્જના સક્રિય/નિષ્ક્રિય તમામ સભ્યોએ લઘુતમ વપરાશ ફી ભરવાની હોય છે. પરિપત્ર ક્ર. એમસીએક્સ/મેમ/400/2008 અને એમસીએક્સ/મેમ/277/2010માં જણાવ્યા પ્રમાણે દર ત્રણ મહિને આ ફી ચુકવવાની હોય છે. |
|
|
|
 |
સ્ટેમ્પ ડ્યૂટીના ચાર્જીસ કેટલા હોય છે? |
|
| સભ્યોએ વાયદાના તમામ કોન્ટ્રેક્ટ પર લાગુ પડતી સ્ટેમ્પ ડ્યૂટી સીધી સરકારને જ ચુકવવાની રહેશે. વિવિધ કોમોડિટીના વાયદાના કોન્ટ્રેક્ટને લાગુ પડતી સ્ટેમ્પ ડ્યૂટીનું પ્રમાણ બૉમ્બે સ્ટેમ્પ ઍક્ટમાં જણાવ્યા પ્રમાણેનું રહેશે. સરકાર તેમાં ફેરફાર કરી શકે છે. ફેરફારો વિશે એક્સચેન્જ સભ્યોને સમયાંતરે જાણ કરતું રહેશે. |
|
|
|
 |
સભ્ય ક્યારે એક્સ્ટ્રાનેટ (એસએફટીપી સર્વર)માં માહિતી મેળવવા જઈ શકે છે? |
|
| સભ્ય કામકાજના કલાકો દરમિયાન ઇન્ટરનેટ મારફતે અને કામકાજના કલાકો બાદ લીઝ્ડ લાઇન અને વીસેટ મારફતે ગમે ત્યારે એક્સ્ટ્રાનેટ (એસએફટીપી સર્વર)માં માહિતી મેળવવા જઈ શકે છે. |
|
|
|
 |
સભ્યોને કામકાજના દિવસના અંતે કયા રિપોર્ટ્સ મોકલવામાં આવે છે? |
|
એક્સચેન્જ કામકાજના દિવસના અંતે એક્સ્ટ્રાનેટ (એસએફટીપી સર્વર) પર નીચે જણાવ્યા પ્રમાણેના રિપોર્ટ્સ પૂરા પાડે છેઃ
|
| સભ્યો માટે રખાયેલા રિપોર્ટ્સ |
સર્વસામાન્ય ફોલ્ડરમાં
- બજારના આંકડા
- કોન્ટ્રેક્ટ માસ્ટર
|
નિશ્ચિત સભ્ય માટેનું ફોલ્ડર
સભ્યના ફોલ્ડરમાં નીચે જણાવાયા મુજબનાં ફાઇલ/રિપોર્ટ્સ માટે દૈનિક ધોરણે અલગ ફોલ્ડર બનાવવામાં આવે છેઃ
- ટ્રેડ ફાઇલ (તે દિવસ દરમિયાન થયેલા સોદાઓ માટે)
- માર્જિન (.csv) (દરેક ક્લાયન્ટ દીઠ કોમોડિટી દીઠ માર્જિન)
- પોઝિશન ફાઇલ (.pos) (સિસ્ટમમાં અપલોડ કરી શકાય તેવા સ્વરૂપમાં દરેક ક્લાયન્ટ દીઠ ઓળિયાંની ફાઇલ)
- પોઝિશન ફાઇલ (.csv) (.csv સ્વરૂપમાં સિસ્ટમ માટેની દરેક ક્લાયન્ટ દીઠ ઓળિયાંની ફાઇલ)
- ઈએક્સડીઆઇ ફાઇલ (દરેક ક્લાયન્ટ દીઠ ડિલિવરીનું નિવેદન)
- ક્લોઝ-આઉટ માટેની જે.વી. (માર્જિન ડિપોઝિટની સામે ક્લોઝ-આઉટ કરાયેલી રકમની કમી માટેની જે.વી.)
- દરેક ક્લાયન્ટ દીઠ અતિરિક્ત માર્જિનનો રિપોર્ટ
- ઓબ્લિગેશન રિપોર્ટ (.txt) (દરેક ક્લાયન્ટ દીઠ દરેક કોમોડિટી દીઠ ઓબ્લિગેશનનો સારાંશ)
- ડિલિવરી ઓબ્લિગેશન રિપોર્ટ (.txt) (દરેક ક્લાયન્ટ દીઠ દરેક કોમોડિટી દીઠ ઓબ્લિગેશનનો સારાંશ)
- બૅન્ક વ્યવહારોની વિગતો
- તમામ પ્રકારનાં ઇનવોઇસ
- ડેબિટ/ક્રેડિટ નોટ, કોલેટરલ રીસિટ/રિટર્ન (સંબંધિત દિવસની કોલેટરલ મળ્યાની/કાઢી નખાયાની પહોંચ)
ઓબ્લિગેશન રિપોર્ટમાં ઉપરોક્ત વિગતો ઉપરાંત સભ્યોને તેમણે એક્સચેન્જમાં રાખેલી કોલેટરલની મુદત પૂરી થવા પહેલાંના પંદર દિવસ અગાઉથી દરરોજ તેના વિશે યાદ દેવડાવવામાં આવે છે. |
|
|
|
 |
પતાવટ બાંયધરી ભંડોળ કોણ સાચવે છે? |
|
| પતાવટ બાંયધરી ભંડોળની સાચવણી અને વ્યવસ્થાપન એક્સચેન્જ કરે છે. |
|
|
|
 |
એક્સચેન્જ બિન-પાલન બદલ કયા અલગ અલગ ચાર્જીસ લાગુ કરે છે? |
|
| અનુપાલન |
ઉલ્લંઘન |
ચાર્જીસ |
| માર્ક ટુ માર્ક પતાવટ |
ટી+1 દિવસના અંતે એક્સચેન્જ પાસેના રોકડ માર્જિનમાંથી એડજસ્ટ કરાનારી ટી+1ની પે-ઇનની જવાબદારી (ઓબ્લિગેશન) પૂરેપૂરી કે આંશિક રીતે નિભાવવામાં ન આવે ત્યારે |
પે-ઇનમાં જેટલી રકમ ઓછી પડશે (જેના માટે લઘુતમ રૂ।. 100 અને મહત્તમ રૂ।. 10,000ની મર્યાદા લાગુ રહેશે) તેના પર 0.50 ટકાના દરે ચાર્જીસ લાગુ કરવામાં આવશે. |
| પ્રારંભિક સિક્યોરિટી ડિપોઝિટ |
માર્જિનની ડિપોઝિટ એમસીએક્સમાં રાખવાની પ્રારંભિક સિક્યોરિટી ડિપોઝિટ કરતાં ઓછી થઈ જાય ત્યારે |
સભ્યપદ નિષ્ક્રિય/સસ્પેન્ડ કરવામાં આવે છે અને રૂ।. 5,000ના ચાર્જીસ લાગુ પડાય છે. ત્યાર પછી પણ જો રકમ ઓછી ને ઓછી જ રહે તો પ્રારંભિક સિક્યોરિટી ડિપોઝિટની આવશ્યક રકમ પૂરી કરવા માટે ખૂટતી રકમ પર તે રકમ પૂરી થાય ત્યાર સુધીના સમયગાળા માટે વાર્ષિક 18 ટકાના દરે ચાર્જીસ લાગુ પડશે. એ ચાર્જીસ રૂ।. 5,000ના ચાર્જીસ ઉપરાંતના રહેશે. |
| માર્જિનની પતાવટ |
ટ્રેડિંગના દિવસે ખૂટી પડેલા માર્જિનની રકમ ટી+1 કામકાજના દિવસે બૅન્કના કામકાજના કલાકો પૂરા થવા પહેલાં ભરપાઈ કરવામાં ન આવે ત્યારે |
ખૂટતી રકમ પર (જેના માટે લઘુતમ રૂ।. 100 અને મહત્તમ રૂ।. 10,000ની મર્યાદા લાગુ રહેશે) 0.50 ટકાના દરે ચાર્જીસ લાગુ કરવામાં આવશે. |
|
|
|
|