 |
કોણ? |
|
|
| આપ
શિક્ષણશાસ્ત્રી હો, વિદ્યાર્થી હો કે પછી બજારના સહભાગી, ઉદ્યોગના નિષ્ણાત કે
સામાન્ય નાગરિક હો, આપના માટે તક ઉપલબ્ધ છે. એમસીએક્સ ભારતીય કોમોડિટી
ડેરિવેટિવ્ઝને લગતા વિષયોનાં આપનાં સંશોધનપત્રો અગ્રણી સામયિકો / જર્નલોમાં
પ્રકાશિત કરવામાં તમને મદદ કરશે. |
|
|
|
|
|
 |
શા માટે? |
|
|
| આપે નવો ચીલો
પાડનારું કંઈક કામ કરવાની આ તક જતી કરવી જોઈએ નહીં, કારણકે ભારતના અતિ જટિલ
કોમોડિટી બજારોમાં વણખેડાયેલા વિષયોમાં સંશોધન કરનારા ઘણા ઓછા લોકો છે. |
|
|
|
|
 |
આપને અમારી જરૂર |
|
|
તેનું કારણ એ છે
કે કોમોડિટી બજારને લગતા ક્ષેત્રમાં અગાઉ કોઈએ બનાવ્યું ન હોય એવું સંશોધનપત્ર
તૈયાર કરવા માટે આપને તમામ પ્રકારની સહાય અને માર્ગદર્શન આપવામાં અમે નિપૂણ અને આ
ક્ષેત્રના અગ્રણી છીએ. એમસીએક્સના નેજા હેઠળ સંશોધન કરવાથી તમારી જ્ઞાનની ક્ષિતિજો
વિસ્તરશે, તમે બજારની ગતિશીલતાનાં નવાં અને છુપાં પાસાંને સમજી શકશો અને તમને બીજે
ક્યાંય ન મળે એવો વ્યાપક અનુભવ મળશે. વળી, નામાંકિત જર્નલ્સમાં તમારાં સંશોધનપત્રો
પ્રકાશિત થવાને લીધે તમને પ્રસિદ્ધિ કરતાં પણ કંઈક વધારે મળશે અને તમે નિઃશંકપણે
નામના મેળવશો.
બીજી નોંધપાત્ર
બાબત એ છે કે બધાં સ્વીકૃત સંશોધનપત્રોને એક્સચેન્જની વેબસાઈટ, www.mcxindia.com,
પર
મૂકવામાં આવશે અને તમને અનેરી ખ્યાતિ મળશે,
કારણ કે
અમારી વેબસાઈટ પર દર રોજ દર સેકંડે મોટી સંખ્યામાં લોકો આવે છે.
છેવટે એક બીજી
વાત. એક્સચેન્જના નિર્ણાયકોની ટુકડીએ કરેલી સમીક્ષાના આધારે તમારા કામની ગુણવત્તા
પ્રમાણે તમને રૂ।. 10,000 કે રૂ।. 5,000નું માનદ્ મહેનતાણું પણ મળી શકે છે.
|
|
|
|
|
 |
અમને પણ આપની
જરૂર છે |
|
|
| તમે જે સંશોધન
કરશો તેમાં અત્યાર સુધી કોઈ કામ ન થયું હોય એવા વિષયો પણ હોઈ શકે છે અને તેને કારણે
તમારું સંશોધન અમારા માટે અમૂલ્ય બની શકે છે. તેનાથી બજારના સહભાગીઓને પ્રશિક્ષિત
કરવામાં, ઉદ્યોગ જગતના આગેવાનોને માહિતગાર કરવામાં અને યોગ્ય નીતિવિષયક પહેલ
કરાવવા માટે નિયમનકારી સત્તાધીશોને અને નીતિના ઘડવૈયાઓને સમજાવવામાં અમને ઘણી મદદ
મળી શકે છે. |
|
|
|
|
 |
કેવી રીતે? |
|
|
| તમને
તમારું
સંશોધન
પ્રસિદ્ધ
કરાવવામાં
રસ હોય
તો અમને
લગભગ 2000
શબ્દોમાં
સંશોધનની
દરખાસ્ત
researchpaper@mcxindia.com
એ ઈ-મેઈલ એડ્રેસ પર મોકલી આપો. તેમાં સંશોધનનો વિષય અને તેનો ઉદ્દેશ ખાસ જણાવવાં.
|
|
|
|
|
 |
સંશોધનપત્ર |
|
|
સંશોધન માટેન
દરખાસ્તનો વિષય મૂળભૂત રીતે મહત્ત્વનો હોવો જોઈએ. તેમાં સંશોધનની દ્રષ્ટિ સ્થાનિક
તથા વૈશ્વિક હોવી જોઈએ. સંશોધનપત્રમાં પોતાના નવા વિચારો અને વિચારપ્રક્રિયા
પ્રતિબિંબિત થવાં જોઈએ, અર્થાત્ તેમાં કોઈ નકલ કરાયેલી હોવી જોઈએ નહીં.
સંશોધનપત્રની સાથે જરૂર હોય તેટલી સંબંધિત લેખિત સામગ્રી, અનુભવસિદ્ધ માહિતી અને /
અથવા બજારનું યોગ્ય સર્વેક્ષણ હોવાં જોઈએ.
નિર્ણાયકોની ટુકડી
(એક્સચેન્જે નીમેલી) તમારા સંશોધનપત્રની સમીક્ષા કરીને મંજૂરી આપે તે પછી પૂરતા
સમયગાળામાં તમારે સંશોધનપત્ર સુપરત કરવું પડશે.
તમારું આખરી
સંશોધનપત્ર સ્વીકારાયા બાદ એક્સચેન્જ તમને તેની સ્વીકૃતિનું પ્રમાણપત્ર આપશે. |
|
|
|
|
 |
રૂપરેખા |
|
|
|
|